રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં 4થા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દબદબાભેર ઉજવણી


  • રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ૨૧ જૂનના રોજ 4થા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયાના સંપૂર્ણ સંચાલન દ્વારા સફળ થયેલ.
  • રાવળિયાવદર ગામના સરપંચશ્રી જીતેન્દ્રભાઈ જોષી, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મનસુખભાઈ કુનતિયા અને અન્ય આ પ્રસંગે વિવિધ યોગક્રિયાઓ કરવા માટે શાળામાં હાજરી આપેલ.
  • કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા દ્વારા તા.૧૮-૦૬-૨૦૧૮ થી તા.૧૯-૦૬-૨૦૧૮ એમ કુલ ત્રણ દિવસ સુધી સૌ વિદ્યાર્થીઓને યોગ, આસનો અને પ્રાણાયામ વિશેની પૂર્વતાલીમ આપેલ અને સૌને યોગના જ્ઞાનથી વાકેફ કરેલ.
  • યોગ દિવસના અભ્યાસક્રમ મુજબ શારીરિક સૂક્ષ્મ ક્રિયાઓ,તાડાસન, વૃક્ષાસન, તિકોણાસન, વજ્રાસન,ઉષ્ટ્રાસન વગેરે જેવા ૨૦ આસનો અને કપાલભાતિ, અનુલોમ-વિલોમ તથા ભ્રામરી જેવા પ્રાણાયામ દ્વારા સમગ્ર શાળાનું વાતાવરણ યોગમય બનાવવામાં આવેલ.
  • દરેક મનુષ્યનું મન સંતુલિત રહે અને પ્રત્યેક જન સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે પોતાના સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા તથા અંતમાં શાંતિ પાઠ પાઠ કરવામાં આવ્યો.
  • ધોરણ-૧૦ની વિદ્યાર્થીની દેથળિયા અંકિતાબેન દ્વારા યોગનું મહત્વ વિશે અને બારોટ કુલદિપ દ્વારા યોગ ભગાડે રોગ વિષય પર પોતાના વક્તવ્ય રજૂ કરેલ.
  • શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા દ્વારા યોગ અને યોગાસનો વિશેની પ્રશ્નોત્તરી કરવામાં આવેલ અને સાચા જવાબો આપનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવેલ.
  • કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ વી. કુરિયા દ્વારા 'યોગ એ માત્ર શારીરિક કસરત નથી પણ આપની જીવનશૈલી સાથે જોડાયેલો છે'આ વિષય પર ભાર મૂકીને યોગ દ્વારા રોગ નિવારણ પર પોતાનું ઉદબોધન આપેલ. 
  • યોગવિદ્યાની ભૂમિ એવા ભારતમાં આ દિવસે વિરાટ અને વિસ્તૃત કાર્યક્રમમાં સહભાગી થવાના આનંદ સાથે સૌ લોકો છૂટા પડ્યા.






















Previous Post Next Post