·
રાવળિયાવદરની સરકારી
માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૫૭ વિદ્યાથીઓનો ધોરણ-૯માં
નૂતન પ્રવેશ.
·
રાવળિયાવદરની સરકારી
માધ્યમિક શાળામાં 14 જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું
આયોજન કરવામાં આવ્યું હતું.
·
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી
કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયાના સંપૂર્ણ સંચાલન અને
પ્રાથમિક શાળાના શિક્ષકોના સહયોગ દ્વારા સફળ થયેલ.
·
કાર્યક્રમના અધ્યક્ષશ્રી
રોશનબેન સીપાઈ(બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી – ધ્રાંગધ્રા), સી.આર.સી.
કૉ-ઓર્ડીનેટરશ્રી સુરેશભાઈ રાઠોડ, ગામના સરપંચશ્રી જીતેન્દ્રભાઈ જોષી, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી
મનસુખભાઈ કુનતિયા અને અન્ય આગેવાનોના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત થઈ
હતી.
·
શાળાના આચાર્યશ્રી
વિઠ્ઠલભાઈ વી. કુરિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ.
·
ધોરણ ૯ અને ૧૦ ની બાળાઓએ ‘મનુષ્યતુ બડા મહાન હૈ’ ગાન અભિનય સાથે રજૂ કરેલ.
·
21 જૂન યોગ દિનની પૂર્વ
તૈયારી રૂપે ધોરણ-૯ ના વિદ્યાર્થીઓ દ્વારા યોગ-નિદર્શન કરવામાં આવેલ.
·
કાર્યક્રમના અધ્યક્ષશ્રી
અને અન્ય આગેવાનોનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.
·
આંગણવાડી, ધોરણ-૧ અને ધોરણ-૯માં નૂતન
પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું તિલક-ચંદન, પુસ્તકો, ફૂલસ્કેપ અને પેન દ્વારા પ્રવેશોત્સવની ઉજવણી
કરવામાં આવેલ.
·
ધોરણ-૩ થી ૧૦ માં પ્રથમ
ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવેલ.
·
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ
‘બેટી બચાવો’ અને ‘યોગ ભગાડે રોગ’ જેવા વિષયો પર વક્તવ્યો આપેલ.
·
ધોરણ-૯ ની વિદ્યાર્થીની
દેથળિયા નિકિતાએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ધોરણ-૧૦ની વિદ્યાર્થીની રાઠોડ જ્યોતિએ ‘સ્વચ્છ ભારત’ વિશે પોતાના વિચારો રજૂ
કરેલ.
·
કાર્યક્રમના અંતે
અધ્યક્ષશ્રીએ નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણ તથા કન્યા કેળવણી વિશે
પોતાના આશિર્વચનો રજૂ કરેલ.
·
કાર્યક્રમના અંતે પ્રાથમિક
શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ આલ દ્વારા આભાર-દર્શન કરવામાં આવેલ.
·
અધ્યક્ષશ્રીના હસ્તે
વૃક્ષારોપણ અને રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.